Tuesday, March 17, 2009

આજે વલ્લભ પધાર્યા મારે આંગણિયે...

મારા કાકાજીના નિવાસસ્થાન 'મંગલાચરણ' મા શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુ તથા શ્રી આશ્રયલાલજી મહારાજ ની પધરામણી ના અવસર ની એક ઝલક


આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રેઊર માં આનંદ થાય.
મે તો મોતીડા ના ચોક પુરાવ્યા
મે તો કદલી ના સ્તંભ છે રોપાવ્યા
હૈયે હરખ ના માય. આજે વલ્લભ પધાર્યા .......
હુ તો ફુલડા મંગાવુ ભાત ભાત ના
રુડા હાર ગુંથાવુ પારિજાત ના
વધાવુ શ્રી ગોકુલનાથ. આજે વલ્લભ પધાર્યા .....
હુ તો કરજોડિ ને વિનંતિ કરુ
મારા વ્હાલા ના ચરણે આશિષ ધરુ
લઈ ને શ્રીજીનુ નામ. આજે વલ્લભ પધાર્યા ....
Share/Bookmark